Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાણાવાવ પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતાં પોરબંદરના યુવાનનું મોત

૨૫ વર્ષના વિજયએ રાજકોટમાં દમ તોડ્યોઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: રાણાવાવ નજીક ખુંટીયા સાથે બાઇક અથડાતાં બાઇક ચાલક પોરબંદરના વણકર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

પોરબંદર કડીયા પ્લોટમાં રહેતો અને ઉપલેટામાં પંચર સાંધવાની દૂકાન ધરાવતો વિજય પીઠાભાઇ વાઘેલા (ઉ.૨૫) નામનો વણકર યુવાન ગઇકાલે દુકાનેથી ઘરે પોરબંદર બાઇક હંકારીને જતો હતો ત્યારે રાણાવાવ પાસે અચાનક ખુંટીયો રસ્તા પર દોડી આવતાં તેની સાથે બાઇક અથડાતાં વિજયને ગંભીર ઇજા થતાં રાણાવાવ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ વાઘોસીએ જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિજય એક ભાઇ અને એક બહેનથી નાનો અને અપરિણીત હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૧૧)

(12:16 pm IST)