Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સરસ્વતી નદીમાં ઘોડાપૂરઃ ૭ થી ૮ કલાક રસ્તો બંધ બીજ ગામ બેટમાં બાદલપરા ગામનો રસ્તો પણ બંધ

પ્રભાસપાટણઃ તા.૧૬: સરસ્વતી નદીના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવેલ જે સુત્રાપાડા તરફ જતા રસ્તામાં જે પુલ આવેલ છે તેના ઉપર પાણી ફરીવળેલ અને રાત્રીના ૪ કલાકથી રસ્તો બંધ થયેલ હતો જે ૧૦ થી ૧૧ વાગે વાકનો ચાલુ થયેલ હતા બાજુમાં આવેલ બીજ ગામ પણ સંપર્ક વિકોણુ બનેલ હતુ અને ઘરોમાં પાણી ભરાયેલ હતા

કપીલા અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા સ્વ.ધાનાભાઇ માંડાભાઇ બારડ સરોવરમાં પાણીનું સ્તર વધતા બાદલપરા ગામનો રસ્તો બંધ થયેલ હતો.આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર થયેલ છે અને ચારે બાજુ પાણીજ જોવા મળે છે ખેતરો બેટમાં ફેરવાયેલ છે અને વાડી વિસ્તારમાં લોકો પાણી ભરાવાને કારણે બહાર નિકળી શકતા નથી.

હિરણનદી પણ ભરાયેલ છે અને પુલ ઉપરથી પાણી જવાનુ શરૂ થયેલ છે.(૭.૧૦)

(12:14 pm IST)