Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મેસવડામાં ઝેરી જનાવર કરડતા ખીમાભાઈ બાવળીયાનું મોત

રાજકોટ, તા.૧૬ : કુવાડવા પાસે મેસવડા ગામમાં રહેતા કોળી આધેડને ત્રણ દિવસ પહેલા ઝેરી જનાવર કરડતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ મેસવડા ગામમાં રહેતા ખીમાભાઈ અરજણભાઈ બાવળીયા (ઉ.વ.૫૦) ગત તા.૧૩/૭ના રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેના ડાબા હાથની આંગળીમાં ઝેરી જનાવર કરડતા બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. મૃતક ખીમાભાઈ ખેતી કરતા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ વી.પી. આહિર તથા ફતેહસિંહે કાર્યવાહી કરી હતી. (૩૭.૩)

(12:12 pm IST)