Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર : વડોદરા ડોડીયા ગામ બેટમાં ફેરવાયું : 300 જેટલા ખેતરો - અનેક ઘરોમાં પાણી ભરાયા

ગીર સોમનાથ જિલ્લામાં એકધારો ચાર દિવસથી વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ છે. વડોદરા ડોડીયા ગામ બેટમાં ફરેવાયુ છે  300 જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અનેક લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે જેના કારણે લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

  .વડોદરા ડોડીયા ગામની વિકટ સ્થિતી અંગે તંત્રને જાણ કરાઇ છે ગામ લોકો તંત્ર મદદે આવે તેની રાહ જોઇ રહ્યા છે ખેડૂતોની હજારો વીઘા જમીનોમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. જેના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

(11:44 pm IST)