Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભાવનગરમાં ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૫ કેસો પૈકી ૮૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૫ થવા પામી છે. જેમા  ભાવનગર શહેરમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨ અને તાલુકાઓમાં ૪૬ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૫ કેસ પૈકી હાલ ૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૩ દર્દીઓનું અવસાન થયેલ છે.

(8:58 pm IST)