Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોનાના કારણે જુનાગઢ ગ્રામ્યના એક દર્દીનું મોતઃ નવા ૧૩ કેસ થયા

૩પ દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૬: કોરોનાને કારણે જુનાગઢ ગ્રામ્યના એક દર્દીનું મોત થયાનું જાણવા મળેલ છે.

 

જુનાગઢ જીલ્લામાં કોરોના હાંફી ગયો હોય તેમ દૈનિક કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગઇકાલે જીલ્લામાં માત્ર ૧૩ કેસની એન્ટ્રી થઇ હતી અને ૩૫ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

પરંતુ મંગળવારે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના એક દર્દીને કોરોના ભરખી જતા અરેરાટી વ્યાપી ગઇ હતી. આમ યમરાજાએ ફરી આળસ મરડતા ફફડાટ વ્યાપી ગયો છે.

બીજી તરફ ગઇકાલે કોવીડ વેકસીન લેનારા લોકોની સંખ્યા ઘટી હતી. સોમવારે ૬૧પ૪ લોકોએ વેકસીન લીધી હતી. જયારે ગઇકાલે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના રર૯ર અને જુનાગઢ ગ્રામ્યના ર૧પ૯ મળી કુલ ૪૪પ૧ લોકોનું જ વેકસીનેશન થયુ હતંુ.

(2:10 pm IST)