Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વિચરતી વિમુકત જાતીના ગરીબ પરિવારોને ઝાલાવાડમાં ૬૫ પ્લોટ અપાયા

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લા માં જેના નામ અને સરનામાં નથી હોતા એવા વીચરતી વીમુકત જાતીના પરીવારો ને સરનામાં આપવાનું કાર્ય જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં બજાણીયા,વણજારા,સલાટ,પરીવારો ને આજે જીલ્લા કલેકટર કે રાજેશ ના હસ્તે ૧૦૦ ચોરસ વારના ૬૫ પ્લોટ નું વીતરણ કરવામાં આવ્યું હતું આ પ્લોટ માં ધ્રાંગધ્રા ના વીરેન્દ્ર ગઢ ના ૭ પરીવારો ને પ્લોટ નું વીતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં જીલ્લા માં ૨૦૦૦ થી વધું પ્લોટ ની ફાળવણી કરી આવા ગરીબ પરીવાર ના લોકો ને પોતાના ધરના સપના હવે પુર્ણ કરશે અને હવે પોતાના મકાન મા માનભેર રહેશે આજે તમામ પરીવારો એ જીલ્લા કલેકટર કે રાજેશ નો આભાર વ્યકત કર્યો હતો આ તકે એમને પ્લોટ અપાવવામાં કાગળો ના કામો કરી સરાહનીય કામગીરી કરનાર હર્ષદ વ્યાસ નો પણ આભાર વ્યકત કર્યો હતો.

(11:37 am IST)