Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વિરપુર હોસ્પિટલના મેદાનમાં પાણી ભરાયા

વીરપુરઃ યાત્રાધામ વીરપુર જલારામ ગામે ઝરમર વરસાદમાં પણ મંદિરે જવાનો એક વર્ષ પૂર્વે જ બનેલ રોડ ખોળખાબળાવાળો થઇ ગયો અને હોસ્પીટલના પટાંગણમાં પાણી ભરાયેલ હોય દર્દીઓને પાણીમાં ચાલીને જ અંદર હોસ્પીટલમાં જવું પડે છે. ઙ્ગજયા દરરોજ હજારો મુસાફરોના યાત્રાળુના રૂપમાં પૂજય જલારામબાપાના દર્શને આવે છે ત્યાં વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ ચોમાસાના પેલા ઝરમર વરસાદમાં જ ખાદાખબળાવાળો અને પાણીથી તરબતર થઈ ગયો છે. એક વર્ષ પૂર્વે જ બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો બનેલ આ રોડ ગતરોજથી પડતા ઝરમર વરસાદમાં ઠેર ઠેરથી તૂટીને ખાદાખબળાવાળો બની ગયો છે જેને કારણે આ રોડ પરથી મોટર સાયકલ લઈને નીકળતા કેટલાય વાહન ચાલકો સ્લીપ થઈને પડયા છે અને પડ્યા બાદ સારવાર માટે વીરપુર સરકારી હોસ્પિટલે જાય તો ત્યાં હોસ્પિટલમાં પ્રવેશતા સાથે હોસ્પિટલનું પટાંગણ  પાણીથી ભરાય ગયું છે એટલે કે ત્યાં પણ સ્લીપ થઈને પડવાની શકયતા રહેલ છે. જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો બનાવવા અને સરકારી હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. તસ્વીરમાં પટાંગણમાં ભરાયેલ પાણી નજરે પડે છે.(તસ્વીરઃ કિશન મોરબીયા)

(11:35 am IST)