Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જૂનાગઢમાં સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોને વીજકરંટ લાગતાં સારવારમાં

જુનાગઢ, તા.૧૬:જૂનાગઢના માં આજે સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોને વીજકરંટ લાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો એવી છે કે જૂનાગઢના દોલત પરા માં નીલકંઠ એપાર્ટમેન્ટ પાસે રહેતા હિરેનભાઈ પટેલના પત્ની પાયલબેન આજે વહેલી સવારે મકાનના ફળિયામાં રહેલો તુલસીના છોડને પાણી રેડવા ગયા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી વીજ લાઇન માથી તેમને કરન્ટ લાગ્યો હતો

હાથી પાયલબેન ના પતિ હિરેન ભાઈઓ પત્નીને છોડાવવા માટે દોડ્યા હતા પરંતુ તેઓને પણ વીજ કરંટ લાગ્યો હતો આ દરમિયાન હિરેનભાઈ ના બહેનો વિધિબેન દોડી આવ્યા હતા અને ભાઈ-ભાભીને છોડાવવાનો પ્રયાસ કરતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો

આમ ત્રણેય જણા દાઝી જતા તેઓને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એ ઘટનાની વધુ તપાસ પોલીસ જમાદાર ગોપાલભાઈ ઠુમ્મર ચલાવી રહ્યા છે

(4:35 pm IST)