Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઘઉંની નિકાસ ઉપર ઍકાઍક પ્રતિબંધ લદાતા કંડલા, ગાંધીધામ, મુન્દ્રામાં સેઁકડો ટ્રકો અટવાઈ

માત્ર કંડલા પોર્ટ ઉપર જ છેલ્લા દોઢ મહિનામાં ૧.૨૦ મિલિયન મેટ્રિક ટનની નિકાસ થઈ ચૂકી છેઃ હવે સ્થાનિક બજારમાં ઘઉં વેîચવા પડશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬ઃ  કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા કચ્છમાં કંડલા, તુણા અને મુન્દ્રા બંદર ઍ દરેક જગ્યાઍ ઘઉં ભરીને આવેલી સેંકડો ટ્રકો અટવાઈ છે. જોકે, ૧૩/૫/૨૨ સુધી જેમને ઍલસી મળી ગઈ છે. ઍ જ પાર્ટીની ઘઉંની નિકાસ થઈ શકશે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ભારતીય ઘઉંની નિકાસ વધી હતી. કંડલા પોર્ટ ઉપર અને  અદાણી સંચાલિત તુણા અને મુન્દ્રા પોર્ટ ઉપર પણ દરરોજ જહાજો ભરીને ઘઉં ની નિકાસ થતી હતી. માત્ર કંડલા પોર્ટ ઉપર જ છેલ્લા દોઢ મહિનામાં ૧.૨૦ મિલિયન મેટ્રિક ટનની નિકાસ થઈ ચૂકી છે. અદાણી મુન્દ્રા પોર્ટના સૂત્રોના જણાવ્યા -માણે ત્યાંથી ૩ લાખ મે.ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે, જોકે, તુણા પોર્ટ ઉપર નિકાસ થયેલ ઘઉંના જથ્થાનો આંકડો મળી શક્યો નથી. પણ, અત્યારે મુન્દ્રા અને તુણા પોર્ટ ઉપરથી ઘઉંની નિકાસ બંધ હોવાનું જણાવાયું છે  હવે જ્યારે ઘઉંની નિકાસ બંધની જાહેરાત થઈ ગઈ હોઈ  પંજાબ, હરિયાણા અને અન્ય સ્થળોઍથી ઘઉં ભરીને આવેલી ટ્રકો અત્યારે તો કંડલા, ગાંધીધામ અને મુન્દ્રામાં અટવાઈ ગઈ છે. હવે, ટ્રકોને પરત લઇ જવી પડે અને તેમાં ભરેલ ઘઉં પણ ફરી સ્થાનિક બજારમાં વેચવા પડે. અત્યારે નિકાસના કારણે ઘઉંના બજાર ભાવ વધ્યા હતા તે પણ નિકાસબંધીના કારણે ઘટી જશે.

(4:04 pm IST)