Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા મોરબી પહોંચશે

મોરબી : ગુજરાત વિધાનસભા ચુંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સક્રિય કાર્યકરોની મીટીંગ ઉમા રિસોર્ટ ખાતે યોજાઈ હતી જેમાં મોરબીઙ્ગ માળિયા વિધાનસભા બેઠકના તમામ હોદેદારો અને સક્રિય કાર્યકરોએ હાજરી આપી હતી. મીટીંગમાં ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, જીલ્લા પ્રમુખ અને મોરબી-માળિયા વિધાનસભા પ્રભારી વસંતભાઈ ગોરિયાની આગેવાનીમાં કાર્યકરોને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરુ કરવા ખાસ ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ મોરબી આવી રહી છે જેથી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી મીટીંગમાં દિલ્હીથી પધારેલ સૌરવ પાંડે ઉપસ્થિત રહ્યા હતા જીલ્લામાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓની ૭ ટીમો બનાવી આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીએ પહોંચવાનો નિશ્ચય કર્યો છે.

(1:33 pm IST)