Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જોડીયાધામની રામવાડીમાં પૂ. ભોલેબાબાજીની પુણ્‍યતિથી નિમિતે ભંડારો ધુવડાબંધ મહાપ્રસાદ

વાંકાનેર,તા.૧૬ : જામનગર જિલ્લાના જોડિયાધામમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી ઉદાસીન સંત કુટિર ૅ રામવાડી ૅ આશ્રમ ખાતે છેલ્લા બે વર્ષની કોરોનાની મહામારી હોય ફરી બે વર્ષ બાદ શ્રી દ્વારકાધીશ ભગવાન એવમ શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તથા પ્રાતઃ સ્‍મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કળપાથી પ્રતિ વર્ષ યોજાતા સદગુરૂદેવ પ્રાતઃ સ્‍મરણીય શ્રી ભોલેબાબાજીની ( ૩૬ મી પુણ્‍યતિથિ ) મહોત્‍સવ નિમિત્તે ભોલેબાબા સેવક સમુદાય દ્વારા જોડિયાધામની રામવાડીમા આગામી તારીખ  : ૧૬ / ૬ / ૨૦૨૨ ને જેઠવદ-૨ ના ગુરૂવારના રોજ બપોરે ૧૨ : ૦૦ કલાકે પ, પૂજ્‍ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમા ઢોલ, નગારા અને સંખોથી ભવ્‍ય દિવ્‍ય બાબાજીની મહાઆરતી કરવામાં આવશે તૅમજ બપોરે ૧૨ : ૦૦ કલાકે સાધુ , સંતોનો ભવ્‍ય ભંડારો તૅમજ ભક્‍તો નો મહાપ્રસાદ રાખેલ છે,, આ ઉપરાંત સાંજના ૫ : ૦૦ કલાકથી જોડિયા સમસ્‍ત હિન્‍દુ સમાજ નો ધુવાણાબંધ ( મહાપ્રસાદ ) નું સાથોસાથ આયોજન કરવામાં આવેલ છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હતી જેથી આ વર્ષે ભાવિક, ભક્‍તજનોમા અનેરો ઉત્‍સાહ ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે પૂજ્‍ય સદગુરૂ દેવ શ્રી ભોલેબાબાજીના મંદિરને અનોખા લાઈટ ડેકરોશન, તેમજ પુષ્‍પહારોથી સજાવટ કરવામાં આવશે અનેક જગ્‍યાએથી સંતો, મહંતશ્રીઓ બાબાજીના ભંડારામા પધારશે રામવાડીમા વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવશે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્‍તજનોને પધારવા ૅ ભોલેબાબા સેવક સમુદાય ૅ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી સેવક સમુદાયવતી બાબાજીના સેવક શ્રી શનિભાઈ વડેરાની યાદીમાં જણાવાયું છે વધુ વિગત માટે નં. શનિભાઈ વડેરા : ૯૮૨૫૨ ૧૨૦૬૫ તેમજ હર્ષદભાઈ વડેરા મો : ૯૪૨૮૨ ૦૮૨૨૩.

 

(11:54 am IST)