Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મોરબીના વનાળીયામાં ચેતન કુનતીયાનો ઝેરી દવા પી આપઘાત

પરિવારજનોએ પૈસા ન આપતા લાગી આવતા પગલુ ભર્યુ

જયાં આગ લાગી તે કારખાનું તેમાં બળીને ખાક થયેલ મશીનરી અને માલ સામાન નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (પ-૧૩)

રાજકોટ તા. ૧૬ : મોરબીના વનાળીયા ગામમાં પરિવારજનોએ વાપરવાના પૈસા ન આપતા લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છ.ે

મળતી વિગત મુજબ મોરબીના વનાળીયા ગામમાં રહેતો ચેતન પ્રભુદાસભાઇ કુનતીયા (ઉ.૩ર) એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની હોસ્‍પીટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો હતો. તે કામધંધો કરતો ન હોઇ તેણે વાપરવાના પૈસા માગતા પરિવારજનોએ પૈસા ન આપતા લાગી આવતા ગામ પાસે વાડીએ જઇ ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)