Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગોંડલના ઘોઘાવદર ચોક પાસે અકસ્‍માતમાં કાનપરના રોહીત ગોસાઇનું રાજકોટમાં મોત

રાજકોટ,તા. ૧૬ : જસદણના કાનપરમાં રહેતા યુવાનનું ગોંડલ ઘોઘાવદર ચોક નજીક વાહન અકસ્‍માતમાં મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ જસદણના કાન પર ગામનો વતની હાલ સુરતનો રહેતો મોહીત રમેશપરી ગોસાઇ (ઉવ.૧૮) ગઇ કાલે ગોંડલ આવ્‍યો હતો. ત્‍યારે ગોંડલ ઘોઘાવદર રોડ નજીક વાહન અકસ્‍માતમાં તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું.  આ બનાવ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)