Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જોરાવરનગરના ટ્રસ્‍ટ દ્વારા ચબૂતરાની સેવા

 વઢવાણઃ જોરાવરનગર સ્‍થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરતા પ્રવિણચંદ્ર મૂળવંતરાય આચાર્ય ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા જોરાવરનગર વિશ્વહિન્‍દુ પરિષદના યશસ્‍વી પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિના જન્‍મદિવસ નિમિતે વિવિધ સ્‍થળોએ પક્ષીઓની ચણ અને પીવાના પાણીની સેવાની સરુવાત કરવામાં આવી. આ સેવા દરરોજ કરવામાં આવશે આ તકે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દુષ્‍યંતભાઈ આચાર્ય વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ ઉપ પ્રમુખશ્રી જગભા સોલંકી વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ પંડ્‍યા જૈન સમાજના અગ્રણી ભાવેશભાઈ વોરા જૈન સેવાભાવી અને નરેન્‍દ્રભાઇ મોદી વિચાર મંચના મહામંત્રી કેતનભાઈ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા. મનોજભાઈ પંડ્‍યા દ્વારા જાતે બનાવેલ ચબુતરો સમશાનમાં અર્પણ કરવામાં આવેલ.આ તકે પ્રમુખ દુષ્‍યંતભાઈ આચાર્ય દ્વારા જણાવવામાં આવ્‍યું કે આગામી સમયમાં આ ટ્રસ્‍ટ દ્વારા નિઃશુલ્‍ક ખીચડી કઢી વિતરણ, નિઃશુલ્‍ક લાઇબ્રેરી,જરૂરિયાતમંદ લોકોને જૂના કપડા વિતરણ જેવા સેવા કાર્યો હાથ ધરવામાં આવનાર છે. સેવાકાર્ય કરતા સેવાભાવીઓની તસ્‍વીર.

(10:54 am IST)