Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભાવનગરમાં પૂ.મોરારીબાપુના હસ્‍તે નેહલ ગઢવીનું સન્‍માન

ભાવનગર, તા.૧૬: સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ પ્રતિષ્ઠાન દ્વારા શ્રી મોરારિબાપુના સાનિધ્‍ય સાથે યોજાયેલા વિવિધ કાર્યક્રમોનું ‘પુર્વ એકાદશી' મનાવાયું, જેમાં સાહિત્‍ય અને શિક્ષણ પુર્વ અંતર્ગત ભાવનગરની સુપ્રસિદ્ધ ‘અંકુર' સંસ્‍થાના શિક્ષક અને જાણિતા વક્‍તા શ્રી નેહલ ગઢવીને ‘શ્રી લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્‍માન' એનાયત થયું. અહીં સાહિત્‍યકાર શ્રી રતિલાલ બોરીસાગર સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સામેલ રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણીઃ ભાવનગર)

(10:53 am IST)