Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દિલ્‍હીની આગની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૬ : બે દિવસ પહેલા દિલ્‍હીના મુંડકા વિસ્‍તારના એક કોમર્શિયલ કોમ્‍પલેકસમાંᅠ ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં ૨૭ થી વધુ લોકો મૃત્‍યુ પામ્‍યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે મૃત્‍યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્‍કેલ બની છે.

પૂજય બાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્‍યેક વ્‍યક્‍તિના પરિવાજનોનેᅠ રૂપિયા પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્‍હી સ્‍થિત રામ કથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે.ᅠ

પૂજય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવેલ છે.

(9:53 am IST)