Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબીના નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ કાર્યરત કરાયું, એનડીઆરએફ ટીમોનું ગામોમાં નિરીક્ષણ

મોરબી : રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબીના નવલખી બંદરે ૨ નંબર સિગ્નલ મુકવામાં આવ્યું છે તેમજ માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એનડીઆરએફ ટીમો કાર્યરત કરાઈ છે જે ગામોનું નિરીક્ષણ કરી રહી છે

માળિયાના નવલખી બંદરે ૨ નંબર સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે તેમજ વાવાઝોડાને પગલે માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ના ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે વાવાઝોડાની આગાહીને પગલે એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે જે ટીમો નવલખી બંદરના જુમાંવાડી, બોડકી, વર્ષામેડી સહિતના ગામોનું નિરીક્ષણ કરશે અને જરૂરત પડ્યે ગ્રામજનોને સ્થળાંતર પણ કરાવવામાં આવશે

(9:00 pm IST)