Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભાજપના રાજમાં નકલી ખાતર, નકલી દવા અને નકલી બિયારણ વેચીને જનતાને ઠગવાનો પ્રયાસ

કણ વાવીને મણ લેવાના ખેડૂતોના સપના ચકનાચૂર

 

અમરેલી: ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષફળતાને કારણે સરકારના મળતીયા દ્વારા કારસ્તાન થાય છે

     પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં નકલી ખાતર, નકલી દવા, નકલી બિયારણ વેચીને જનતાને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાજમાં ખેડૂતો કણ વાવીને મણ લેવાના ખેડૂતોના સપના ચકનાચૂર કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાજમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે.   

(11:12 pm IST)