Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કેશોદ પાસે કારની ઠોકરે કેરીનાં બગીચામાં જતા સોંદરડાના પ્રૌઢનું મોત

જૂનાગઢ તા. ૧૬ :.. કેશોદ પાસે આજે સવારે કારની ઠોકરે સોંદરડાના પ્રૌઢનું મોત થયાનું જાણવા મળેલ છે.

આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી પ્રાપ્ત વિગતો એવી છે કે, કેશોદ તાલુકાનાં સોંદરડાના દિલીપભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.પપ) આજે સવારે એમ. ૮૦ મોટર સાયકલ ઉપર બેસીને ધાબાવડ ગામે પોતાના કેરીનાં બગીચા ખાતે જતા હતાં.

ત્યારે રસ્તામાં સોંદરડા અને કોયલાણા ગામ વચ્ચે અજાણી કારનાં ચાલકે દિલીપભાઇને હડફેટેમાં લેતા તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માતની જાણ થતાં કેશોદ પોલીસે સ્થળ પર દોડી જઇને તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)