Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ધારી ગિર પૂર્વ દલખાણીયા રેન્જની સિંહ બાળના મોતના કારણ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

અમરેલી, તા.૧૬: ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના રામગઢ બીટમાં કાલે ૭ માસના સિંહબાળનું મોત નીપજયું હતું આ અંગે વન વિભાગએ જણાવ્યું હતું કે દલખાણીયા રેન્જમાં રામગઢ બીટમાં  કાલે ૬થી સાત માસના નર સિંહબાળનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું.

વનવિભાગે પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરી હતી અને સિંહબાળના મોતનું સાચું કારપ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકશે.

(11:44 am IST)