Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મોરબીમાં માતાનું અવસાન બાદ બે દીકરીઓએ કાંધ આપી

મોરબી, તા.૧૬: માતાનું અવસાન થતા બે દીકરીઓએ માતાને કાંધ આપી હતી. દીકરો દીકરી એકસમાન સમાજને પ્રેરણા આપતો કિસ્સો મોરબીમાં બન્યો છે.

મોરબીમાં રહેતા અને મૂળ જુના ઘાંટીલા ગામના વતની એવા બળદેવભાઈ ઓધવજીભાઈ ગઢિયાના પરિવારમાં તેમના પત્ની ભારતીબેન અને બે પુત્રી ભૂમીબેન અને નીકીતાબેન છે બળદેવભાઈના પત્ની ભારતીબેન છેલ્લા છ માસથી કેન્સરનાં અસાધ્ય રોગથી પીડાતા હોય જેની સેવામાં પતિ બળદેવભાઈ અને દીકરીઓ નિકિતા અને ભૂમિ ખડેપગે રહ્યા હતા.

તેમનું અવસાન થયું હતું ત્યારે માતાનું અવસાન થતા તેની બંને દીકરીઓ નિકિતા અને ભૂમિએ તેણે કાંધ અઆપીને બંનેના હાથે અગ્નિદાહ આપ્યો હતો અને દીકરીઓએ દીકરાની ફરજ નિભાવી હતી.  (૨૩.૮)

(12:35 pm IST)