Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા જલિયાં વાલા બાગ હત્યાકાંડના ૧૦૨માં વર્ષ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો

જામનગરઃ  જલિયાંવાલા બાગ હત્યાકાંડના ૧૦૨ વર્ષની તવારીખ નિમિત્ત્।ે  શહીદોને શ્રદ્ઘાંજલિ આપવા માટે સૈનિક સ્કૂલ બાલાચડી અને ગ્રુપ હેડકવાર્ટર એનસીસી જામનગરના કેડેટ્સ અને એએનઓ દ્વારા બાલાચડી ગામના દરિયાકાંઠે પ્લોગિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 'એનસીસીએગેઈન્સ્ટપ્લાસ્ટિક અને 'એનસીસીરીમેમ્બર્સજલિયાંવાલા'ની પહેલ નીચે યોજાયો હતો. જેમાં આશરે ૧૫૦ કેડેટ્સ, એનસીસી સ્ટાફ, પીઆઈ સ્ટાફ અને સ્કૂલના અધિકારીઓએ ભાગ લીધો હતો. કેડેટ્સે પ્લાસ્ટિકની ખરાબ અસર વિશે બાલાચડી ગામના લગભગ ૫૦૦ નિવાસીઓને જાગૃત કરવા માટે 'જાગૃતતા રેલી'યોજી હતી. આશરે ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનથી આજુબાજુનો વિસ્તાર પ્લાસ્ટિકથી મુકત થઈ ગયો હતો. સ્કૂલના કેડેટ્સ દ્વારા સંપૂર્ણ સમર્પણ અને હ્રદયપૂર્વકની ભાગીદારીથી યોજાયેલ આ ભાવનાત્મક ઝુંબેશ હતી.

(1:08 pm IST)