Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

માળિયાના વવાણીયામાં કોવીડ કેર સેન્ટર

મોરબી : માળિયા તાલુકામાં પણ કોરોના કહેર જોવા મળે છે. જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબીના સૌજન્યથી પીએચસી હસ્તક વવાણીયા ખાતે હાઈસ્કૂલમાં કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૨૫ બેડની વ્યવસ્થા કરાઈ છે અહી દર્દીઓને જમવાનું, ફ્રુટ, નાસ્તો અને દવા આપવામાં આવશે માળિયાના મામલતદાર પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જે કોવીડ કેર સેન્ટરમાં વવાણીયા ગામના સરપંચ અશ્વિનસિંહ પરમાર, રમેશભાઈ ખાદા આમદભાઈ પટેલ સહિતના સેવા આપી રહ્યા છે હોમ આઈસોલેશન માટે જરૂરિયાત હોય તે સવલતો જયદીપ એન્ડ કંપનીના જયુભા ઉદયસિંહ જાડેજા, દિલુભા ઉદયસિંહ જાડેજા પરિવાર તરફથી પૂર્ણ કરવામાં આવશે કોવીડ કેર સેન્ટરમાં કોઈપણ જ્ઞાતિના દર્દીઓને દાખલ કરવામાં આવશે વધુ માહિતી માટે સરપંચ અશ્વિનસિંહ પરમાર મો ૯૯૧૩૦ ૫૨૦૦૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે. કોવીડ કેર સેન્ટરની તસ્વીર.

(11:47 am IST)