Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બામણબોર પાસે રિક્ષા-કાર વચ્ચે અકસ્માતઃ૧નું મોતઃ બાળકી સહીત ત્રણને ઇજા

સુરેન્દ્રનગર તા.૧૬ : ઝાલાવાડ પંથકમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેમાં ધ્રાંગધ્રા, લખતર, મુળી, સાયલા, ચોટીલા, લીંબડી સહિતના હાઇવે પર પુરઝડપે દોડતા વાહનો અનેક લોકોના જીવ લે છે. ત્યારે આવો જ બનાવ ચોટીલા રાજકોટ હાઇવે પર બન્યો છે.

ચોટીલા-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા નં. જી.જે. ૩. ડબલ્યુ. ૩૮૬૩ અને કાર નં. જી.જે. ૩. ઇઆર.૬ર૭૮ સામસામી અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું અને બાળકો સહિત ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આસપાસના લકોએ ૧૦૮ અને સ્થાનિક પોલીસને જાણ કરતા તુરંત પોલીસ કાફલા સહિત ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી જઇ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અને લાશને પી.એમ. અર્થે ખસેડી પોલીસ તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ટ્રાફીકના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં ટ્રાફીક પૂર્વવત કરાવ્યો હતો.

(4:13 pm IST)