Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાવનગર પંથકમાં માહોલ જામતો નથીઃ ઓછું મતદાન થવાની વકી !

બેનરો, ઝંડી, ચોપાનીય સહિતના પ્રચારના અનેક સાધનો કયાંય જોવા મળતા નથી, કાર્યકર્તાઓની જૂથબંધી અને અંદરો અંંદરની ખટપટ ચર્ચાની એરણે ચઢે છે

ભાવનગર, તા.૧પઃ તળાજામાં ચૂંટણીનો માહોલ જામતો નથી. તેવો અનુભવ આમજનતા કરી રહી છે. મતદાનને હવે સાત જ દિવસ રહ્યા છે ત્યારે શુષુપ્ત વાતાવરણ અનુભવતા મતદારો ના મંતવ્ય પ્રમાણે મતદાન ઓછું થવાની શકયતા નકારી શકાય તેમ નથી. એ ઉપરાંત કાર્યકરો સંગઠન બે ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલ હોવાની વાતો કર્યકરોમાં દરરોજ નતનવી બનતી નાની મોટી વાતોને લઈ ચર્ચાનો વિષય બની રહી છે.

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આખરી સાત દિવસ રહ્યા છે. ઉમેદવારો માટે મત વિસ્તાર મોટો હોય રાત થોડી ને વેહ જાજા જેવો ઘાટ ઘડાયેલો છે. એ ઉપરાંત તળાજા શેહર પંથકમાં કાર્યકરોમાં જે ઉત્સાહ હોવો જોઈએ તે જણાતો નથી. દર ચૂંટણી વખતે અનેક પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. પણ તળાજામાં લોકો આકર્ષાય તેવું પ્રચાર કરતું સાહિત્ય કયાંય જોવા મળતું નથી.

સરળ રીતે પ્રચાર થાય તેમાટે પક્ષો દ્વારા ઝંડીઓ, તોરણ, ચોપનીયા મોટી માત્રામાં દેખાય છે એ પણ આ વખતે કયાંય જોવા મળતા નથી. પ્રચાર કરતાસ્થાનિકઙ્ગ વાહનો પણ કયાંય દેખાયા નથી.આવી અનેક બાબત ને લક્ષમાં રાખી આમજનતા મતદારો એવું અનુભવે છેકે ચૂંટણી નો માહોલ જામતો નથી.

બીજી તરફ કાર્યકરો બે ત્રણ ગ્રુપ માં વહેંચાયેલ હોય સાથે કાર્યાલયો પર થતા મતભેદો, સામસામે આવી જવું , રાજકીય પક્ષની વિચારધારામાં આગેવાનોની હાજરીમાં ખેસ પહેરીને ભળવા માંગતા હોય તેવા લોકો ને તમારી જરૂર નથી તેમ કહી પાછા કાઢવામાં આવે તેવી અનેક બાબતો રોજબરોજ કાર્યકરો માટે ચર્ચાનો વિષય બને છે.

આવી અનેક બાબતો ના કારણે મતદાન ઓછું થવાની સંભવના વ્યકત કરવામાં આવી રહી છે.

(11:47 am IST)