Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબી પંથકમાં આપઘાતમાં બે બનાવ

માંડલ ગામે પરણિતા રીટાબેન ઝાલા તથા મોરબીમાં શૈલેષ ચાવડાનો ફાંસો ખાઇ આત્મહત્યા : કારણ અંગે તપાસ

મોરબી, તા. ૧૬ :  મોરબી પંથકમાં આપઘાતના બે બનાવો પોલીસે ચોપડે નોંધાયા છે જેમાં માંડલ ગામે પરણિતાએ તથા મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

મોરબીના માંડલ ગામે રેહતા રીટાબેન કલ્પેશભાઈ ઝાલા (ઉ.વ.૩૦) નામની પરણીતા એ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા તેના મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.

બીજા બનાવમાં મોરબીના રોહીદાસપરના વિજયનગરમાં રેહતા શૈલેષ મનુભાઈ ચાવડા (ઉ.વ.૨૫ ) નામના યુવાને અગમ્ય કારણોસર ગ્લેફાસો ખાઈને આપદ્યાત કરી લેતા તેના મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આમ બે જુદા જુદા બે બનાવમાં બે લોકોએ ગ્લેફાસો ખાઈ જતા બનેને મોત નીપજયા છે. પોલીસે બંન્ને બનાવમાં આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. (૯.૭)

(1:01 pm IST)