Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ૩૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માંગણી

વહિવટી કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખની રજૂઆત

જૂનાગઢ તા. ૧૬ :  જુનાગઢના ગુજરાત કૃષિ યુનિવર્સિટી વહિવટી કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ હરગોવિંદભાઇ જમનાદાસ જોષીએ રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુને આવેદનપત્ર પાઠવીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શા માટે ભરતી કરવાનું ટાળે છે? તેવો પ્રશ્ન પૂછયો છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અગાઉનું સૌરાષ્ટ્ર રાજ્ય તથા અમરેલી જિલ્લો છે. દરેક જિલ્લા તાલુકામાં તેની કોલેજો સહિતની કચેરીઓ આવેલી છે.

ત્યારે આ યુનિવર્સિટીમાં આશરે ૩૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે. આ બધી કામગીરી ચાર્જથી કે રોજમદારોથી ચલાવવામાં આવે છે ત્યારે આ મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.(૨૧.૩)

(9:27 am IST)