Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અરડોઇ ગામે નર્મદાના નીરના વધામણા

કોટડા સાંગાણી : રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશભાઇ (જ્યોતિરાદિત્યસિંહ) જાડેજા, સંતો તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, મહામંત્રી અમિતભાઇ પડારીયા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા પ્રતિપાલસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહકારી અગ્રણી હરદેવસિંહ ટી. જાડેજા તેમજ તાલુકા ભાજપ ટીમ તથા અરડોઇ ગામના સરપંચો તથા આગેવાનો દ્વારા અરડોઇ ગામે નર્મદા નીરના વધામણા કરતા તસ્વીરમાં નજરે પડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નુ હતું કે, ગુજરાતના ગામડે નર્મદાનું નીર પહોંચશે. અરડોઇ ગામના ખેડૂતો પણ ખુશીથી નાચી ઉઠયા હતા.

(11:39 am IST)