Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પોરબંદર બ્રહ્મસમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી

પોરબંદર : બ્રહ્મસમાજ દ્વારા સમુહમાં ૧૦૮ મહામૃત્યુંજય મંત્રના જાપ કરી શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અશ્વિનભાઇ દવે, સંજયભાઇ મહેતા, અશ્વિનભાઇ ઠાકર, ભીમાભાઇ જોશી, નીલેશભાઇ વ્યાસ, કિશોરભાઇ પંડયા, વેણુભાઇ પોરીયા, ભાર્ગવભાઇ થાનકી, મહિલા પાંખના જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર, દિપાલીબેન ભટ્ટ, અસ્મિતાબેન જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા હાલ કોરોના મહામારી ચાલી રહેલ હોય સરકારશ્રીના જાહેરનામામાં નિયમ મુજબ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ જાળવી આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ તે તસ્વીર.

(1:01 pm IST)