Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

આઠ મહિના પહેલા વેવિશાળ કરનાર ગઢડા પંથકના કિશોર-કિશોરીનો સજોડે આપઘાત

ભાવનગર તા. ૧પ :.. ગઢડા પંથકમાં ૧પ વર્ષની કિશોરી અને ૧૭ વર્ષનાં કિશોરે સજોડે ઝેરી દવા પી આપઘાત વહોરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો મુજબ ગઢડાનાં હોળાપા ગામ પાસેથી એક કિશોર અને કિશોરીનાં મૃતદેહ મળી આવતાં પોલીસ દોડી ગઇ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દયાબેન પરમાર (ઉ.૧પ) રહે. રતનપર અને અશ્વિનભાઇ મારૂ,  (ઉ.૧૭) રહે. પાસવીના  હોવાનું ખુલવા પામ્યુ છે. બન્ને એ ઝેરી દવા પી લઇ આપઘાત  કર્યો હોવાનું અને બન્નેનું આઠ માસ પહેલા વેવિશાળ થયુ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી ચકચાર મચી જવા પામી છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(3:15 pm IST)