Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

માણાવદર આતંકી હુમલાનાં વિરોધમાં બંધઃ આક્રોશ રેલીઃ કાલે શાક માર્કેટ બંધ

માણાવદર, તા., ૧૬: ભારતના વિર જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજ રોજ માણાવદર બંધ આક્રોશ રેલી તથા ધુન યોજાઇ છે. આતંકીઓ દ્વારા હિન્દુસ્તાનનાવીર જવાનો ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે શનિવારના બપોરના ૧ થી માણાવદર સદંતર બંધ રહેશે. સાંજના ૬ કલાકે સીનેમા ચોકથી ભાઇઓ તથા બહેનો તથા દરેક સ્કુલના વિદ્યાર્થીઓ કેન્ડલ માર્ચ કરી ગાંધી ચોકમાં પહોંચશે અને ત્યાં ધુન દ્વાા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે.

તા.૧૭મીએ શાક મારકેટ સદંતર બંધ. (૪.૫)

(12:10 pm IST)