Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ખંભાળીયાના ખોળ-કપાસીયાનાં લોહાણા વેપારી ધીરેનભાઇ સોનૈયા લાપતાઃ અપહરણની આશંકા

ખંભાળીયા તા. ૧૬ :.. જોધપુર ગેઇટ પાસે દુકાન ધરાવતા અને ખોળ કપાસીયાનો ધંધો કરતા ધાર્મિક અને અગ્રણી રઘુવંશી લોહાણા વેપારી ધીરેનભાઇ મનસુખલાલ સોનૈયા ઉ.૪૮ વાળા ગઇકાલે બપોરે દુકાનેથી હમણા આવું છું કહીને ચાલ્યા ગયા તે હજુ સુધી પરત ના આવતા રઘુવંશી સમાજમાં ભારે ચર્ચા જાગી છે.

બપોરે ચાલી ગયેલ આ યુવાનનો મોબાઇલ બપોરના ૪ાા વાગ્યા સુધી ચાલુ હતો જે પછી બંધ થઇ ગયો હતો અને સવાર સુધી પરત ના આવતા તેના કુટુંબીજનોએ આ અંગે પોલીસને જાણ કરી છે.

આ વેપારીનું કોઇ અપહરણ કરી ગયું કે કોઇ પદાર્થ સુંઘાડીને લઇ ગયું હોય તેવી આશંકા પણ વ્યકત થઇ રહી છે.

પાલિકા પૂર્વ પ્રમુખ જયેશભાઇ ગોકાણી, પાલિકા સદસ્ય તથા વેપારી અગ્રણી જગુભાઇ રાયચુરા, પ્રવિણભાઇ મોદી, જયેશભાઇ મોદી તથા વેપારીઓ દ્વારા શોધખોળના પ્રયત્નો હાથ ધરાયા છે.

(3:47 pm IST)