Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ગારીયાધારના મોટી વાવડીમાં પાણી નિકાલનાં ભુંગળા મોટા ચારોડિયા પહોંચાડી દેવાતા ભારે ચર્ચા

ગારીયાધાર તા. ૧૬ :.. ગારીયાધારના મોટીવાવડી પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા કામમાં પાણી નિકાલના ચાર જેટલા ભુંગળા સારી હાલતમાં હોવા છતાં પંચાયતના ઠરાવ કે પરવાનગી વગર બારોબાર વેચી દેવાયા હોય તેમ તમામ ભુંગળા મોટા ચારોડીયા ગામે આપી દેવામાં આવ્યા છે.

જયારે મોટા ચારોડીયા ગામે તપાસ કરતા પંચાયત દ્વારા આવા કોઇ ભુંગળાની ખરીદી કરાઇ નથી આવા ભુંગળા સાથે લેવા - દેવા ન હોવાનું જાણવા મળ્યું હતું. વળી, આ બાબતે તાલુકા પંચાયતમાં પણ તપાસ કરતા પંચાયત સતાની રૂહે પણ કંડમ થયેલો સામાન ઠરાવ વગર અન્ય કોઇ સંસ્થા કે વ્યકિતને આપી ન શકે તેમ જાણવા મળ્યું છે.

સારી હાલતના આ ભુંગળા મોટી વાવડી ગામથી મોટા ચારોડિયા ગામ સુધી કોના કહેવાથી પહોંચ્યા છે તે સમગ્ર ગામ માટે મોટો પ્રશ્નાર્થ બન્યો છે. (પ-૪)

 

(12:20 pm IST)