Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પાલીતાણાના રતનપર ગામે રામાનંદી આશ્રમમાં ૪ લાખની ચોરી

ભાવનગર, તા. ૧૬ : રતનપર ગામે સાધુના સ્વાંગમાં આવેલ શખ્સ આશ્રમમાંથી રૂ. ૪ લાખની ચોરી કરી નાસી છૂટયો હતો.

મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના રતનપર ગામે જાળીયા રોડ ઉપર આવેલ રામાનંદી આશ્રમમાં તાજેતરમાં મહંત રામબાપુનો ભંડારો કરવાનો હોય સેવકોએ રૂ. ૪ લાખનું દાન કર્યું હતું. આ રકમ આશ્રમના કબાટમાં મૂકવામાં આવેલ. દરમ્યાન આશ્રમમાં સાધુ તરીકે આવેલા અજાણ્યા શખ્સે આ ૪ લાખ રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયો હતો. આ અંગે આશ્રમના સેવક ભનુભાઇ ભીમભાઇ કાનાણીએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:13 pm IST)