Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વડિયા આંગણવાડી કેન્‍દ્ર નં ૧૦૬માં અસામાજિક તત્‍વો દ્વારા નુકશાન

વડિયા, તા.૧૬: વડિયા જુના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ આંગણવાડી કેન્‍દ્ર નં.૧૦૬માં અસામાજીક તત્‍વો દ્વારા નુકશાન કરવામાં આવ્‍યું અને આ આંગણવાડી કેન્‍દ્ર પીવાના પાણીની પાઈપ લાઈનો તેમજ લાદીઓ ઉંચકીને દરવાજા તાળું તોડવાનો પ્રાયાસ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે અને પાછળના વંડા મા આગ લગાવીને ઇલેક્‍ટ્રી સર્વિસ વાયરોને નુકશાન પહોંચ્‍યું છે સમગ્ર દ્યટનાની વડિયા ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયાને જાણ કરાતા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને સમગ્ર ઘટનાની વડિયા પોલીસમાં આંગણવાડી હેલ્‍પર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે અને અસામાજિક તત્‍વોને શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે

(10:41 am IST)