Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ઠારઃ ઠંડીમાં વધારો

જુનાગઢ-રાજકોટ-ભાવનગર-પોરબંદર-સુરેન્દ્રનગર-ડીસા-નલીયા સહીતના શહેરોમાં ૧૧ થી ૧ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: ગિરનાર પર્વત પર ૬ ડીગ્રી

રાજકોટ, તા., ૧૬: છેલ્લા બે દિવસ ઠંડીમાં થોડો ઘટાડો થયા બાદ આજે ફરી ઠંડીમાં આંશીક વધારો નોંધાયો છે. જેના કારણે વહેલી સવારે ઠાર અનુભવાયો હતો.સૌરાષ્ટ્રમાં ઠંડી અંગેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જુનાગઢ

જુનાગઢ પંથકમાં આજે ઠારનું સામ્રાજય રહયું હતું. ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી રહયા બાદ આજે સવારે તાપમાનનો પારો નીચે ઉતરીને ૧૧.૬ ડીગ્રીએ સ્થિર થયો હતો. જેના પરીણામે ઠંડીમાં આંશીક વધારો થયો હતો.સોમવારની જેમ આજે પણ વહેલી સવારે ધુમ્મસનું આક્રમણ રહયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહેતા ઠાર અનુભવાયો હતો.જુનાગઢના પર્વાતાધિરાજ ગિરના રખાતે સવારે ૬.૬ ડીગ્રી ઠંડી રહી હતી. સવારે અઢી કી.મી.ની ઝડપી ઠંડો પવન રહેતા વાતાવરણ ઠંડુગાર રહયું હતું.જયારે જામનગરમાં ૧૧ ડીગ્રી ઠંડી નોંધાયેલ પોરબંદરમાં ૧ર ડીગ્રી, ડીસામાં ૧૧ ડીગ્રી, રાજકોટમાં ૧૩ ડીગ્રી, ભાવનગરમાં ૧પ ડીગ્રી, વેરાવળમાં ૧૭ ડીગ્રી, ઓખામાં ર૧ ડીગ્રી, ભુજમાં ૧પ ડીગ્રી, નલીયામાં ૧૧ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૧ ડીગ્રી, અમરેલીમાં ૧૩ ડીગ્રી, મહુવામાં ૧૧ ડીગ્રી અને ગાંધીનગરમાં ૧૧ ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. (૪.૩)

(2:38 pm IST)