Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઉતરાયણ એટલે પુણ્યનો માર્ગ અને દક્ષિણાયન એટલે પાપ નો માર્ગ ક્યો માર્ગ પસંદ કરવો એ આપના હાથમાં છે: શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

ઉતરાયણના પવિત્ર દિવસે શાસ્રી માધવપ્રિયદાજી સ્વામીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ઉજવાયેલ સપ્તરંગી કાર્યક્રમ દર્શનાર્થે ઉમટેલો માનવ મહેરામણ

         ઉના તા.૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP ની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા, ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી,કોઠારી નરનારાયણદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય મહેશભાઇ જોષીના માર્ગદર્શન સાથે શાકોત્સવ, ગૌ પૂજન, સત્સંગ સભા, શાળા વાર્ષિક ઉત્સવ, વિજ્ઞાન પ્રદર્શન, રક્તદાન કેમ્પ અને મકરસંક્રાતિ મહોત્સવ વગેરે સપ્તરંગી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉના તેમજ આજુ-બાજુના નાધેર વિસ્તારના પાંચ હજાર ઉપરાંત હરિભક્તો જોડાયા હતા.

         કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા બેન્ડ-વાજા દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો જોડાયા હતા શાળાએ પહોચતા બાળકોએ સ્વાગત નુત્ય કરી પૂજય સ્વામીજીને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ સ્વામીજીએ શાળામાં ઉજવાઈ રહેલ વાર્ષીક ઉત્સવનું ઉદ્ધાટન કર્યું હતું ત્યાર બાદ સ્વામીજીએ સમગ્ર પ્રદર્શન નિહાળીયુ હતું. સ્વામીજીએ દરેક વિભાગમાં ફરી બાળકો દ્વારા ઉપરોક્ત વિષયોની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.

         આ પ્રદર્શન શાળાના આચાર્ય મહેશભાઇ જોષી તથા શિક્ષકગણમાં ચંદ્રેશભાઈ ગોહિલ, રોહિતભાઈ નાંડોળા, ધવલભાઈ કિડીયો, ભવિષાબેન સોમૈયા, દર્શનાબેન મથુકીયા, ઘનશ્યામભાઈ વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન માં શાળાના ૧૨૦૦ વિધાર્થી માથી ૬૦૦ વિદ્યાર્થી જોડાયા હતા.

         આ પ્રસંગે ઉજવાયેલ શાકોત્સવ પ્રસંગે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વિશાળ સભાને જણાવ્યુ હતું કે આજે ઉતરાયણનો પર્વ છે. જીંદગીના બે માર્ગો છે તેમાં ઉતરાયણ એટલે પુણ્યનો માર્ગ અને દક્ષિણાયન એટલે પાપ નો માર્ગ. ઉતરાયણ એટલે દેવતાઓનો માર્ગ અને દક્ષિણાયન એટલે દાનવોનો માર્ગ॰ ઉતરાયણ એટલે ઊધ્વગતિ નો માર્ગ દક્ષિણાયન એટલે અધોગતિનો માર્ગ ક્યો માર્ગ પસંદ કરવો એ આપના હાથમાં છે. ઉતરાયણ પસંદ કરશુ તો સુખી થશુ દક્ષિણાયન પસંદ કરશું તો દુખી થશું.

         આ કાર્યક્રમના અંતે ગામે-ગામના હરિભક્તો ને સ્ટેજ પાસે બોલાવી શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ફૂલની પાખડીઑથી વધાવિયા હતા. શાકોત્સવ પ્રસંગે પધારેલા ૫૦૦૦ ઉપરાંત હરિભક્તોને બાજરાના રોટલા,રીંગણનું શાક,અદડીયા,ખિચડી વગેરે પ્રસાદ રૂપી પીરસવામાં આવ્યા હતા .

પ્રતિ આદરણીય તંત્રી શ્રી કનુ ભગત    

 

 

 

(1:14 pm IST)