Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરેલી જીલ્લામાં કોરોનાએ ર દર્દીનો ભોગ લીધોઃ ૧૮પ દર્દીઓ સારવારમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧પ : રોજે રોજ આંટો મારી કોરોનાના દર્દીઓને ઉઠાવી જતા યમરાજા ગઇકાલે રજા રાખી હોય તેમ મૃત્યુના કોઇ બનાવ ન બનતા રાહત હતી. પણ આજે અમરેલીમાં સારવાર દરમિયાન બે દર્દીઓના મોત નીપજયા હતા અને કોરોનાના ૧પ કેસ સામે આવ્યા છે. અમરેલીના ચિતલ રોડે ગુરૂકૃપાનગરમાં ૭પ વર્ષના વૃધ્ધા અને સાવરકુંડલાના વંડા ગામે ૭૮ વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજયા હતા. જયારે આજે નવા ૧પ કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૩૯૭ થઇ છે અને આજે ૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જયારે ૧૮પ દર્દીઓ સારવાર લઇ રહયા છે. 

(1:01 pm IST)