Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મહામારીના સમયમાં જ ધોરાજી પાલિકાએ આકરા વેરા નાખ્યા

વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર : પહેલા ભૂગર્ભ ગટરનો વેરો બાદ દિવાબતી સફાઈ નો વેરો નાખતા રોષ

ધોરાજી, તા.૧૫: મહામારીના સમયમાં છેલ્લા એક વર્ષથી લોકો ધંધા રોજગાર વગરના છે આવા સમયે પ્રજા ઉપર કમરતોડ ત્રણ નવા વેરાઓ નાખતા ધોરાજી શહેરની જનતા તેમજ વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે જે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો.

જે અંગે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા કારોબારી સદસ્ય કિશોરભાઈ રાઠોડ એ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ં સફાઈ તથા દિવાબત્ત્।ી ના વાર્ષિક કર નો ઠરાવ કરવામાં આવેલ છે જે બાબતે  દિવાબતી નો કર રહેણાંક માટે ૩૦૦ રૂપિયા તેમજ બિન રહેણાંક દુકાનો તેમજ ઉદ્યોગો માટે ૫૦૦ રૂપિયા કરવામાં આવેલ છે જેની સામે અગાઉ સામાન્ય સભામાં ૨૪ અને રૂપિયા ૧૨૦ નો ઠરાવ થયેલ હોય તે જ દર રાખવા માંગણી છે

તેમજ તારીખ ૨૬/ ૧૦/ ૨૦૨૦ ના ઠરાવમાં રહેણાંક અને બિનરહેણાંક બંને માટે જુદા જુદા કર લેવાનો ઠરાવેલ છે આ અંગે એક જ કરદાતા નો રહેણાંક હોય તે કરદાતાને ધંધા-રોજગાર અને બિન રહેણાંક હોય તે જ કરદાતાને ધંધા-રોજગાર એટલે કે બિન રહેણાંક તરીકે પણ એક જ સુવિધા માટે કર ભરવો પડે આમ એક જ કરદાતાને એક જ સુવિધા માટે બે વખત કર ભરવો પડે જેથી આ સામે  જે કરદાતાઓ પાસેથી રહેણાક માટે નો કર લેવામાં આવે તેની પાસે બીજો અન્ય કર ન લેવા આવે તેમાંથી મુકિત આપવામાં આવે.

થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરનો વેરો ધોરાજીની પ્રજા પણ નવો નાખવામાં આવ્યો છે જેનો પણ વિરોધ છે અને વાંધા રજૂ કર્યા છે જે અંગે  મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી ને આવેદનપત્ર પાઠવીને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ બાબતે ચતુર્વેદી એ જણાવેલ કે શકય હશે તેટલા દર ઘટાડવાનો નગરપાલિકાની સામાન્ય સભામાં બોર્ડ નક્કી કરશે.

(11:38 am IST)