Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને અન્નકોટ

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઈકાલે કારતકવદ સોમવતી અમાસના રોજ દાદા ને   રાજોપચાર પૂજન અભિષેક  શ્ન  તેમજ  વિશેષ  પુષ્પાભિષેક  શ્ન સંતો દ્વારા કરવામાં આવેલ  તેમજ  દાદાને  અન્નકોટ  શ્ન ધરાવવામા આવેલ હતો , આ ઉપરાંત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિર ને અનોખો શણગાર કરવામાં આવેલ હતો તેમજ બપોરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની  ઙ્ક મહા આરતી શ્રી ડી , કે , સ્વામીજી મહારાજ  ઉતારેલ હતી , કારતક વદના છેલ્લા શનિવાર થી જ દાદાના મંદિરે ભાવિકો ઉમટી પડેલા હતા અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્ય દર્શન કરીને ભાવિક ભકતજનો તન ,  મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે , દૂર  દૂર થી સાળગપુરધામમા ભાવિકો કાયમ દાદાના દર્શન કરવા આવે છે , શનિવારે વિશાળ માનવ મહેરામળ ઉમટે છે, ગઈકાલે સાળગપુરધામ મા વિશાળસંખ્યામા ભાવિકોએ દર્શનનાઙ્ખ લાભ લીધેલ હતો  તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ , ડી , કે , સ્વામીજી , તથા સંતોએ જહેમત ઉઠાવેલ હતી  સાળગપુરધામ મા વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ હિતેશ રાચ્છને પૂજય શ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ તેમજ ડી , કે , સ્વામીજી મહારાજશ્રી એ આર્શીવાદ પાઠવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:34 am IST)