Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગેસનો બાટલો બદલતી વખતે આગઃ માણાવદરમાં દંપતિ દાઝયું

નિલેષભાઇ શેખ અને ફરઝાનાબેનને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૧૫: માણાવદરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભડકો થતાં આગ લાગતાં મુસ્લિમ દંપતિ દાઝી જતાં માણાવદર, જુનાગઢ સારવાર અપાવી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

માણાવદર રહેતાં અને પાનનો ગલ્લો ચલાવતાં નિલેષભાઇ બાબુભાઇ શેખ (ઉ.વ.૪૫) તથા તેના પત્નિ ફરઝાનાબેન નિલેષભાઇ શેખ (ઉ.વ.૪૫) દાઝી જતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે. નિલેષભાઇના કહેવા મુજબ ગેસનો બાટલો ખાલી થવા આવ્યો હોઇ પોતે નળી બદલતાં હતાં ત્યારે બર્નરમાં તિખારો રહી ગયો હોઇ તેના કારણે ભડકો થતાં પોતે અને બાજુમાં રોટલી બનાવવા બેઠેલા પત્નિ બંને દાઝી ગયા હતાં.

નિલેષભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માણાવદર પોલીસને જાણ કરી હતી.

(11:29 am IST)