Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

વાંકાનેરના રાતાવીરડા ગામે પથ્થરનો ઘા ઝીકી હત્યાના બે આરોપી ઝડપાયા

બાઈકની ચાવી દેવા બાબતે થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા

વાંકાનેરના રાતાવીરડા ગામે યુવાનને પથ્થરના ઘા ઝીંકી હત્યાના મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને બે આરોપીનેઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે 

  આ અંગેની વિગત મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે જગા ઉર્ફે જગશી લખમણ કૂણપરા નામના યુવાને માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા થતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈજી.આર.ગઢવી સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના પિતા લખમણભાઈ જેરામભાઈ કુણપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સંજય ભગવાનજી ઉકેડીયા રહે રાતાવીરડા અને સંદીપ રાયસિંગ માલવી હાલ સરતાનપરરોડ, મૂળ એમપી વાળાએ બે શખ્શોએ તેની હત્યા કરી હોવાનું હતી એક માસ અગાઉ બાઈક ચાવીદેવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી મારામારી કરી તેમજ માથામાં પથ્થરના ઘાઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું હત્યા અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી બંને આરોપીને ઝડપી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

(8:34 pm IST)