Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

વિશ્વ હિન્દુ પરિષદ જામનગર અને દેવભૂમિ દ્વારકા દ્વારા

આવતીકાલે અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર નિર્માણ કરવા માટે જામનગર ખાતે વિરાટ સભા

મીઠાપુર, તા. ૧પ : દેવભૂમિ દ્વારકા જીલ્લા તથા જામનગર જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે એક વિરાટ ધર્મસભાનું સુંદર આયોજન તા. ૧૬ ને રવિવારના રોજ જામનગરના અતિ પ્રખ્યાત મેજ વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તો આ વિરાટ ધર્મસભામાં જોડવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને જોડવા માટે અને હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય રામમંદિર અયોધ્યામાં નિર્માણ કરવા માટે સહયોગ આપવા અને પુણ્યના ભાગીદાર બનવા માટે આહવાન આપવામાં આવે છે. (૮.પ)

(12:34 pm IST)