Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઉનામાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન યોજાયાઃ ૧૩ નવદંપતિઓના પ્રભુતામાં પગલા

ઉના તા.૧૫: સોરઠીયા પ્રજાપતિની જ્ઞાતિ દ્વારા ૧૧માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. ૧૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને જાનકી મંદિરના મહંતશ્રી પુરસોત્તમદાસ બાપુએ આ ૧૩ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

અતિથી વિશેષ તરીકે નાયબ કલેકટર શ્રી મહેન્દ્રભાઇ કે પ્રજાપતિ આશીર્વાદ આપવા માટે ખાસ આ પ્રસંગમાં ઉપસ્થિત રહયા હતા અને તેમના હાથે દિપ પ્રાગટય કરાવી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને પ્રજાપતિ સાહેબે તેમના પ્રવચનમાં સમુહ લગ્ન દ્વારા મોટા અને ખોટા ખર્ચામાંથી બચાવીને આ સમાજને આર્થિક રીતે પ્રગતિ થાય તે માટેનું સમુહ લગ્નનું આયોજન ઉત્તમ છે. તે બાબતે દાખલા આપીને સમાજને સારૂ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. જ્ઞાતિ અગ્રણીઓમાં સુરતથી ડો. જેન્તીભાઇ ધોકીયા તેમજ અમદાવાદથી હિંમતભાઇ લાડવા હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ વધારી હતી. તેમજ ઉના તાલુકાના ૪૨ ગામોમાંથી અંદાજે ૫૦૦૦ માણસોએ હાજરી આપી. હતી. પ્રસાદનો લાભ લીધો હતો. જ્ઞાતિના પ્રમુખ નાનજીભાઇ આર. કિડેચાએ સંત શ્રી પુરૂસોત્તમદાસ તેમજ નાયબ કલેકટરશ્રી પ્રજાપતિનું પુષ્પહાર પહેરાવી, સાલ ઓઢાડી સમાજ તરફથી મોમેન્ટો અર્પણ કરેલો હતો.(૧.૩)

(12:34 pm IST)