Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલીકાના 'સ્વ. વિપિનભાઇ ટોલીયા રીવરફ્રન્ટ' નામકરણની તકતીનું અનાવરણ

રાજકોટઃ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સ્વર્ગસ્થ પ્રમુખશ્રી વીપીનભાઇ ટોલીયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધીના રીવરફ્રન્ટને આધુનિક અને નયનરમ્ય રીવરફ્રન્ટ બનાવવાનો સંકલ્પ કરેલ જે પરિપૂર્ણ થતા આજરોજ આ રીવરફ્રન્ટનું 'સ્વ વિપિનભાઇ ટોલીયા રીવરફ્રન્ટ' નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવેલ.ઙ્ગ સુરેન્દ્રનગરની આગવી ઓળખ સાબિત થનાર આ રીવરફ્રન્ટ અંદાજે રૂ. ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.ઙ્ગ આ પ્રસંગે રિવરફ્રન્ટને શણગારવામાં આવેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવેલ.

(3:53 pm IST)