Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પરિક્રમા સંદર્ભે સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠક

જુનાગઢ : ગતરાત્રે શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ગિરનાર  સાધુ સંતોના મંડળના અધ્યક્ષ પુ. ઇન્દ્રભારતી ભારતીજી મહારાજ તથા અખાડા પરિષદના અધ્યક્ષ હરિગીરીજી મહારાજ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદજી મહારાજ મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ પુ. મહાદેવ ભારતીબાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ તેમજ રાષ્ટ્રીય સેવા સંઘ અને સેવાભાવી સંગઠનો અને શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા મેયર ધીરૂભાઇ ગોહેલ ડે.મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષ દવે, સંજય મણવર સહિતના આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા અને બાદમાં રાત્રે પરિક્રમાનો મંગલ પ્રારંભ કરાયો હતો. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:23 pm IST)