Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જામકંડોરણાના બાલાપરમાં સમાજ ભવન લોકાર્પણ

જામકંડોરણાઃ તાલુકાના બાલાપર ગામે વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા સમાજ ભવન અને સરદાર લેઉવા પટેલ સમાજ ભવન એમ એકી સાથે બે સમાજ ભવનોનો લોકાર્પણ કાર્યક્રમ અને સમાજના દાતાશ્રીઓનો સન્માન સમારંભ અને ગામ સમસ્ત અલૌકિક મનોરથ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના અનેક દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. સમાજ ભવનોનું લોકાર્પણ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, આર.ડી.સી. બેંકના ડીરેકટર લલીતભાઈ રાદડીયા, રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, સમાજના અગ્રણીઓ રાજુભાઈ હીરપરા, ડી.કે. સખીયા, કિરીટભાઈ પટેલ, ભૂપતભાઈ બોદર, સુરેશભાઈ સખરેલીયા, જેન્તીભાઈ રામોલીયા સહિતના જ્ઞાતિના ભામાશાઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી. સમાજ ભવનોના લોકાર્પણની તસ્વીરો (તસ્વીરઃ મનસુખભાઈ સી. બાલધા-જામકંડોરણા)

(10:39 am IST)