Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઉનામાં ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપનું સ્નેહમિલન

સ્નેહ મિલનમાં મુખ્યમંત્રીનું અભિવાદનઃ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી તથા સંગઠન પ્રભારીઓ આગેવાનો કાર્યકરોની હાજર રહ્યા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧પ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે સવારે ૧૧ વાગ્યાથી યોજાય રહ્યો છે.
       ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમોના આયોજન થયા છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઉનામાં યોજાઇ રહેલ છે.
ગીર સોમનાથ જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં જિલ્લા ભાજપ પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી તથા જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીઓ રઘુભાઇ હુબલ મનસુખભાઇ ભૂવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા છે. સ્નેહમિલનનો કાર્યક્રમ ત્રિકોણબાગ ચોક સામે યોજાય રહેલ છે.
      મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાજપના આગેવાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

 

(10:16 am IST)