Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ-ચિંતન શિબિર કાર્યક્રમ યોજાયો.

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરના પટાંગણ ખાતે ભવ્ય સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં મુખ્ય મહેમાન પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાતેમજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતલાલ ઠાકરાની, દેવજીભાઈ ગણેશીયા, વાઘજીભાઈ ડાંગરોચા, ભરતભાઈ ઠાકરાની, જેન્તીભાઈ મંદ્રેસાણીયા, હળવદ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ ગણેશીયા, રમેશભાઈ ઝિંઝુવાડીયા, ચતુરભાઈ પાટડીયા, તુલસીભાઈ પાટડીયા, વકીલભરતભાઈ દેગામા, મહેશભાઈ પરમાર, હજનારી ગ્રામ સરપંચ મહેશભાઈ પારેજીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી જે તમામ મહાનુભાવોનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભવ્ય સ્નેહમિલન સમારોહ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા દૂર થાય શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે માટે શિક્ષણ કુંભની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાખરાવાળી મેલડી માતાજીના ભુવા ભરતભાઈ સુરેલા તેમજ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, ભરતભાઈ પરમાર, યોગેશજી ઠાકોર, જયદીપ ઝિંઝુવાડીયા, મનુભાઈ ઉપસરીયા, જયંતીભાઈ ઘાટલીયા, ગોપાલભાઈ સીતાપરા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરીયા, સુરેશભાઈ શિરોઈયા, તમામ આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

(12:01 am IST)